parodhh_admin

રસિક રહસ્ય કથાઓ શ્રેણી-4

એમ. જી.નું  રહસ્ય, આ આપઘાત ન હોય, વેરનું  ઝેર શ્રી રસિકભાઈએ ‘ચૂપકે-ચૂપકે’ લખેલી કેટલીક કથાઓમાં સળંગ ડિટેક્ટિવ એજન્સીના સૂત્રધારો તરીકે સુરેન્દ્રકુમાર યાજ્ઞિક, મદદનિશ મહેશ તથા ગીતકુમારી અને ઈન્સ્પેકટર રાણાની ટીમ હોય છે જ્યારે બીજી કેટલીક કથાઓમાં સળંગ લોક સહાયક ડિટેક્ટિવ એજન્સીના સૂત્રધારો તરીક સનત, રમણ અને ચારુબાળા તથા પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી મારૂ સાહેબ હોય છે. […]

રસિક રહસ્ય કથાઓ શ્રેણી-4 Read More »

અંધારી અમાસના તેજસ્વી તારલા

(ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૨માં આત્મકથા, રેખા ચિત્ર, પત્ર અને જીવન ચરિત્ર વિભાગમાં શ્રેષ્ઠ પુસ્તક તરીકે તૃતિય ક્રમના પારિતોષકને પાત્ર બનેલ પુસ્તક) જીવનની અંધારી ઘનઘોર રાતમાં પોતાના તેજે ચમકતા તારલાઓના પ્રકાશની અહિંયા ઉજ્જવળ, સુવર્ણમયી વાસ્તવકથાઓ છે. જીવનના રણમેદાનમાં ખેલાયેલી પરાક્રમ-ગાથાના વિજેતાઓની આ વાત છે. આ વિકલાંગ વ્યક્તિઓનું જીવન નિરાશાથી ઘેરાયેલું હતું. ઉપહાસથી આમતેમ ફંગોળાયેલું

અંધારી અમાસના તેજસ્વી તારલા Read More »

રમીએ રમતો વ્યૂહરચનાની

લાદી ઉપર ચોકથી ખાનાઓ દોરી પાંચી-કૂકા અને કોડા વડે રમતા રમતા અનેક રમતોનો બચપણમાં ત્રણ વર્ષના હોસ્પિટલના નિવાસ દરમિયાન રમતો હતો તેનો મનમાં સંગ્રહ થયો હતો. ત્યાર પછી બીજા દેશોમાં પણ આવી Indoor Games રમાતી હતી તેવું વાંચવામાં આવ્યું હતું. કોઇપણ જાતના ખર્ચ વગર પેન, ચોક કે કોલસા વડે લીંટોડા દોરી અને સાંઠીકા, પાંચી કૂકા

રમીએ રમતો વ્યૂહરચનાની Read More »

અડગ મનના ગજબ માનવી

આ પુસ્તકમાં શું છે એ તો એની અનુક્રમણિકા જોવાથી જણાઈ આવશે. પ્રાથમિક વાત એ છે કે અહીં પાંચ ગુજરાતી અને પાંચ વિદેશી સિદ્ધિવંતોની કથાઓ છે. લગભગ દરેકની કથા હેરત પમાડે તેવી છે. હા, રીતસર આપણાં ડોળા ફાટી રહે એવી આશ્ચર્યજનક એમની આપદાઓ અને આપદાઓ સામેની સિદ્ધિઓ છે. આ વાંચનાર વિકલાંગોને જીવનનનો ઉત્સાહ અને સિદ્ધિપ્રેરણા મળશે

અડગ મનના ગજબ માનવી Read More »

હોંસલોં કી ઉડાન

આ દુનિયામાં ઘણા લોકો પોતાને ‘લેસ ફોરચ્યુનેટ’ સમજતા હોય છે. કુદરતે તેના સર્જનમાં ક્યારેક કોઈ ખામી રાખી દીધી હોય છે. કોઈના પગમાં, કોઈના હાથમાં, કોઈની આંખમાં કે કોઈના બીજા કોઈ અંગમાં થોડીક અધૂરપ રહી ગઈ હોય છે. તેઓ ખરેખર ‘કમનસીબ’ હોય છે ? એનો જવાબ છે, ના. દુનિયામાં એવાં ઢગલાબંધ ઉદાહરણો છે કે દિવ્યાંગોએ સાજા-નરવા

હોંસલોં કી ઉડાન Read More »

જીવતરની સાથે, માણસાઈની વાટે

ગાંધી યુગીન ગુજરાતી સાહિત્યમાં કરસનદાસ માણેક એક વડેરા કવિ રહ્યા છે. એમણે લખેલી એક કવિતા સાંભરે છે : જીવન અંજલિ થાજો ! ‘જીવતરની સાથે માણસાઈની વાટે’ નામક આ પુસ્તિકામાં ‘જીવન અંજલિ થાજો!’ નાદને ઘૂંટતાં દસ પાત્રોની વાત વણી લેવામાં આવી છે. જે ઘટનાઓને પાત્રો સાથે ગૂંથી છે તેમાં સતત આ બાબત જીવતી પણ જોવા મળે

જીવતરની સાથે, માણસાઈની વાટે Read More »

કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર

‘કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર….’ એટલે ‘પરમ સમીપે’ પહોંચવાની ભાવના- આ વિશિષ્ટ કાર્યક્ષેત્રે કામ કરતી વિભૂતિઓ. આ પુસ્તકમાં આવી દસ પાત્રોની કથાઓના પ્રસંગો ‘પરમ સમિપે’ પહોંચવાની ભાવનાને ઉજાગર કરે છે. તેમાં જોડાઈ જનાર પાત્રો કોઈ જાતિ-પાંતિ કે ધર્મના બંધન સિવાય માત્ર ને માત્ર ‘પ્રભુકાર્ય’ને સમર્પિત છે. ફક્ત જીવીએ એટલુ નહીં પણ જીવી જાણીએ

કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર Read More »

હૈયે હામ તો હરકત શી

‘હૈયે હામ તો હરકત શી !’ પુસ્તકનાં દેશ-વિદેશમાં વસતાં પંદર દિવ્યાંગોની સફળતા અને સિદ્ધિનું, સહેજ પણ રંગદર્શી વિના રસપ્રદ કથાની રીતે આલેખન કર્યું છે. આ પંદરેય વ્યક્તિઓે વિષમ અને વિપરિત સંજોગો સામે બાથ ભીડીને કશુંક હાંસલ કર્યું છે. સામાન્ય માણસોને પણ પ્રેરણા આપે એવું જીવન જીવ્યાં છે. આત્મ શક્તિ અને પ્રબળ પુરુષાર્થ શું ન કરી

હૈયે હામ તો હરકત શી Read More »

બંધ પોપચાંમાં રંગોની ભાત

‘બંધ પોપચાંમાં રંગોની ભાત’ શિર્ષક પોતે જ પુસ્તક વિશેની ઘણી બધી ધારણાઓને સાચી પાડે છે. જુદા જુદા દેશોના નેત્રહીન માનવીઓની અલગ અલગ કથની અને વૈવિધ્યપૂર્ણ કલાઓનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. ૧૬૦૮માં જન્મેલા મિલ્ટનથી માંડીને આજની તારીખમાં નેશનલ જૂડો ચેમ્પ્યિન પ્રજ્ઞાચક્ષુ જાનકી ગોડ સુધીની૧૫ વ્યક્તિઓની પ્રેરક આભાઓને નિખારી છે. વિશ્વના જુદા જુદા ખૂણે-ખાંચરેથી આ જીવનચરિત્રોને

બંધ પોપચાંમાં રંગોની ભાત Read More »

સારપનું વાવેતર

‘હું માનવી માનવ થાઉં તોય ઘણું’- ને ચરિતાર્થ કરતા સોળ મહાનુભવોની વાત આ ચરિત્રસંગ્રહ ‘સારપનું વાવેતર’માં જોવા મળે છે. સમાજના સાચા અર્થમાં બુનિયાદી સેવા કરતા આ સમાજસેવકો માટે પ્રજાનો પ્રેમ એજ મોટો પુરસ્કાર છે. ભલે ધર્મ કે વ્યવસાય અલગ હોય પણ આ મહાનુભાવો કરે છે તો પ્રજાસેવા અને પ્રજાસેવા એજએમના માટે પ્રભુસેવા છે. આમ અહીં

સારપનું વાવેતર Read More »

Follow by Email
LinkedIn
Share
Instagram
WhatsApp