
ગામ, પાદર, ઘર, ગલી ઓળંગીને ચાલ્યો જઈશ,
હુંય મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ…
કવિ શ્રી અનિલ ચાવડાની આ પંક્તિમાં જીવનું શાશ્વત સત્ય સમાયેલું છે. મૃત્યુ માનવજીવનની એક અફર ઘટના છે એ આપણે સૌ જાણીએ છીએ, સમજીએ છીએ અને મને કમને સ્વીકારીએ પણ છીએ. વિશ્વના ખૂણે ખાંચરે જિંદગી સામે ઝઝૂમીને, જીવન સંઘર્ષ સામે હસીને લડત આપતા રહીને જીવનને ઉજમાળું બનાવી રહેલા અનેક અનોખાં વ્યક્તિત્વને ઉજાગર કરીને સાચા અર્થમાં ચેતનાની વાટ સંકોરીને ચૈતન્યનો આ પુસ્તકે સાક્ષાતર કરાવ્યો છે. જીવન સામે ઝઝૂમતા, અસામાન્ય સંજોગોમાં જિંદગીને ઝીન્દાદિલીથી લડત આપતા અને સમાજ માટે કશુંક કરી છૂટવાની ભાવનાથી એકલપંડે અવિરત કર્મયજ્ઞ કરતા રહીને, તન, મન, ધનથી અનેક લોકોને હૂંફ, પ્રેરણા અને હિંમત આપીને જીવન જીવવા માટેની દીવાદાંડી સમ બની રહેલા મુઠ્ઠી ઊંચેરા માનવીઓની વાત અહિંયા માંડી છે. પોતાની વિકલાંગતા કે અપાર મુશ્કેલીઓને અતિક્રમીને સફળતાના સોપાન સર કરીને અન્ય માટે પ્રેરણારૂપ બનતા અનેક દીપને વિશ્વના ખૂણે ખાંચરેથી વીણીને તેને શબ્દદેહ આપીને પ્રકાશમાં લાવવાનું ઉમદા કાર્ય અહિંયા થયું છે. જીવનના ઝંઝાવાતો સામે ઝૂક્યા સિવાય ટાગોરના કોડિયાની જેમ ટમટમીને જીવનનું ગૌરવ કરી રહેલા આવા અનેક નામી, અનામી માનવોને સલામ કર્યા સિવાય કેમ રહી શકાય ? માનવીય ચેતનાનો સાક્ષાત્કાર કરાવતા આ પુસ્તકને કોઇ જ અતિશયોક્તિ સિવાય હું Must Read પુસ્તકની શ્રેણીમાં મૂકીશ. ભાવકોની આંખ અને અંતરને એ અંદર અને બહારથી અચૂક ભીના ભીના કરી રહેશે અને જીવનની એક દિશા ચીંધી જશે, એમાં શંકાને કોઇ સ્થાન નથી.
-/શ્રીમતી નીલમ દોશી
પ્રકાશકઃ
ગૂર્જર સાહિત્ય ભવન
મૂલ્યઃ રૂપિયા ૩૫૦ /-
- खूब लड़ी मर्दानी वह तो……………પિતાના હત્યારાને સજા અપાવનાર કિંકજલ સિંહના સંધર્ષની ભીતરી યાત્રા
- માનવીના દુઃખોને દૂર કરવામાં પોતાને ભાગ્યશાળી માની પોતાની માનું તર્પણ કરનાર – બાઇક એમબ્યુલન્સ દાદા
- ૨૪ વર્ષના મિત્રની શહીદી એળે ન જાય તે માટે માનવ મૂલ્યોની મશાલ લઈ મિત્રને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલી આપનાર એક જવાન – લૅફટનન્ટ સંદીપ અહલાવત
- જેમની પ્રકૃતિ અને પ્રવૃત્તિ આંસુ લુછવાની હતી તેવા અલ્લાહના પ્યારા બનેલ ‘બે રૂપિયાવાળા ડૉકટર’ – ડૉ. કે. એમ. ઇસ્માઇલ હુસૈન
- જલ્દીથી ફેલાય તેવા અલ્સરના જીવાણુંવાળા સૂપને ગટગટાવી જઇને મેડિકલ મીસ્ટ્રીને ઉકેલી નાખનાર નોબેલ પ્રાઇઝ વિનર – ડૉક્ટર બેરી માર્શલ
- વાયોલિનમાં કર્ણ મધુર સૂર રેલાવી કેરોનાના દર્દીઓમાં પ્રેમ, શ્રદ્ધા અને આશા વહેંચતી ચિલીની એક નર્સ – ડામરિસ સિલ્વા
- અમૂલ્ય શું – નૈતિક સંસ્કાર, ન્યાય-નિષ્ઠા, પ્રામાણિકતા કે જીત ?
- વિકલાંગતાને પોતાની તાકાત બનાવી સફળતાની સીડી ચઢનાર – ઉમ્મુલ ખેર
- ગુલામોને અંધકારમાંથી અજવાળા તરફ લઈ જનાર અશ્વેત એવી હેરિએટ ટયૂબમેન
- હું માનવી માનવ થાઉં તો ઘણું !
- ડૉક્ટર ફોર બેગર્સ
- અઝીમ પ્રેમજીઃ એક ઉત્કટ માનવતાવાદી અને પરોપકારી દાનવીર.
- વિજ્ઞાનના કરિશ્માથી શરીરની બહાર એક બેગમાં પોતાનું ‘દિલ’ ધડકતું રાખી જીવતી એક વિરાંગના – સલ્વા હુસૈન
- સત્તાવન વર્ષ સુધી સાત સાત પર્વતો ખોદીને ૪૦ કિલોમીટરનો રસ્તો બનાવનાર નેવુ વર્ષીય ભાપકર ગુરુજી
- લોકોને સલામતીના પાઠ ભણાવી ગરીબ બાળકોના જીવનમાં શિક્ષણના રંગો પૂરતો હેલ્મેટ મૅન- રાઘવેન્દ્ર
- અનેક મૃતદેહોના પરિવારજનો માટે તારણહાર બનનાર યુએઇના અશરફ થમારસેરી
- ગરીબીમાં ઉછરી કલેક્ટર બનવાના સપનાને સાકાર કરનાર બંગડી વેચનાર માનો એક વિકલાંગ દીકરો – રમેશ ધોલપ
- ગ્રામ્ય પ્રદેશના બાળકોની અંદર રહેલ ચૈતન્યને જાગૃત કરનારો એક અદ્ ભુત યુવાન શિક્ષક અનિલ પ્રધાન
- બાવીસ હજાર ગ્રામ્ય મહિલાઓની કિસ્મત બદલનાર, રાજસ્થાંથી હાર્વડ સુધીની સફર કરનાર આઠ ચોપડી ભણેલ બાડમેરની રુમા દેવી.
- ‘ક્ષમતાને પારખો, વિકલાંગતાને નહિ’ – ઉક્તિને સાર્થક કરતી શાક વેચવાવાળા ગરીબ બાપની બેટી એવી રોશનઆરા
- સ્પાસ્તિક સેરેબ્રલ પાલ્સીથી પીડિત એક પરિપૂર્ણ વિદ્યાર્થી, સર્જનાત્મક સંશોધક અને સચેત શિક્ષક એટલે – ડૉ. રાકેશ સિન્હા
- કોઈ લાખ કરે ચતુરાઈ, કરમ કા લેખ મિટે ના રે ભાઈ….ને ચરિતાર્થ કરતાં વાસંતીબેન મકવાણા…
