May 2025
શ્રી જસુભાઈ કવિ
ડૉ. જનક શાહ અને શ્રીમતી ભારતી શાહ પાછલા ઘણા વર્ષોથી આપણને પોતાની ઉદ્ેશપૂર્ણ અને મહેનતકશ કલમના માધ્યમથી પ્રેરક પુસ્તકો દ્વારા સમષ્ટિમાં જે શુભ, સત્ય, સુંદર, શ્રેષ્ઠ અને પ્રેરક તથા જીવન ઘડતરમાં ચાલકબળ બને તેવા પુરુષાર્થ ચિત્રોથી આપણને માલામાલ કરતા રહયા છે. અહીં એક બીજી મહત્વની વાતનો ઉલ્લેખ કરવાનું મને મુનાસીબ લાગે છે. સામાન્ય રીતે આ
દેવિકા રાહુલ ધ્રૂવ
શ્રી જનકભાઇ કહે છે તેમ તેમણે આ તમામ જીવનચરિત્રના અંશો તેમજ તસ્વીરો, સમાચાર પત્રો, સામાયિકો, ઇન્ટરનેટ તેમજ ગુગલના માધ્યમથી પ્રાપ્ત કરેલ છે. પરંતુ તેની પાછળનો જે હેતુ છે, પ્રેરક વિચાર છે તે બહુ મોટી વાત છે અને તેને માટે કરેલી પ્રેમપૂર્વકની મહેનત દાદ માંગી લે છે. તે માટેની સતત ચાલતી રહેતી મનોપ્રક્રિયાને, ઘટનાઓને અને પોતાના
દેવિકા રાહુલ ધ્રૂવ Read More »
જય વસાવડા
ચેતનાનો સાક્ષાત્કાર: કોરોનાકાળમાં જે કરૂણકથાઓ સર્જાઈ, એમાં એક વીજળી પડી શિક્ષક તરીકે સત્વશીલ જીવન ગુજારતા બાપ જનક શાહ પર. એક ફિલ્મ બને એવી લવસ્ટોરીનો સંસાર અધૂરો મૂકીને યુવાન વેબડિઝાઇનર પુત્ર દર્શન શાહે અકાળે અણધારી વિદાય લીધી. ભાંગી પડેલા કુટુંબ ને તૂટી પડેલા બાપે જાતને સધિયારો આપવા મૂંઝવણ અને મુસીબતોનો સામનો કરી, બીજાને મદદ કરવા બેઠા
શ્રદ્ધાબેન ત્રિવેદી
સાહિત્યિક મૂલ્ય ધરાવતું તેમનું પ્રદાન વાચકનું જીવનપાથેય બની રહે છે. વિપરીત સંજોગો વચ્ચે પણ માનવ કેટકેટલી રીતે સતત પડકારો ઝીલીને ઇશ્વરદત્ત કર્તવ્યનું પાલન કરીને માનવજીવનને સાર્થક કરે છે તે જનકભાઇ તથા ભારતીબહેને અનેક જીવંત વ્યક્તિઓના ચરિત્રો લખીને આપણને તેવાં માનવરત્નોનો પરિચય કરાવ્યો છે એ માટે આ દંપતીની દૃષ્ટિ માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત નહીં પણ
શ્રદ્ધાબેન ત્રિવેદી Read More »
નીલમ દોશી
જનકભાઇ અને ભારતીબહેને જીવન સામે ઝઝૂમતા, અસામાન્ય સંજોગોમાં જિંદગીને ઝીન્દાદિલીથી લડત આપતા અને સમાજ માટે કશુંક કરી છૂટવાની ભાવનાથી એકલપંડે અવિરત કર્મયજ્ઞ કરતા રહીને, તન, મન, ધનથી અનેક લોકોને હૂંફ, પ્રેરણા અને હિંમત આપીને જીવન જીવવા માટેની દીવાદાંડી સમ બની રહેલા મુઠ્ઠી ઊંચેરા માનવીઓની વાત માંડી છે. પોતાની વિકલાંગતા કે અપાર મુશ્કેલીઓને અતિક્રમીને સફળતાના સોપાન
દિનેશભાઇ શાહ
જનકભાઇ તથા ભારતીબેને ‘પરમ તમીપે’ પહોંચવાની વાતની ઊંડી સમજ મેળવીને માનવીના અનેક સ્વરૂપોને અનેકવિધ કાર્યની રચનામાં, સૂક્ષ્મરૂપે જોતાં વેંત ઓળખી ગયા પછી તે માનવના જીવનના સત્યને પ્રસ્તુત કર્યા છે. મહેંદી પીસાયા પછી જ રંગ લાવે છે. વિવિધ ક્ષેત્રના માનવોમાં જે ‘મહાનુભાવોએ’ પ્રભુ કૃત્ય સંભાળ્યું છે એમાં જ એમને એમનાં જીવનની પ્રસન્નતા અને પ્રભુતા પ્રાપ્ત થયેલી
કૃષ્ણકાંત ઉનડકટ
દિવ્યાંગો માટે જનકભાઇ શાહે તથા શ્રીમતી ભારતીબેન શાહે દિલથી વખાણવુ પડે એવું કામ કર્યું છે. સફળ થવા માટે કોઇ સિદ્ધિ મેળવવા ‘હોંસલા’ ચાહિએ. જનકભાઇ તથા ભારતીબેન દ્વારા રજૂ થતી દિવ્યાંગોની એક એક વાત માત્ર દિવ્યાંગ લોકો માટે જ નહીં, સાજા-નરવા લોકો માટે પણ પ્રેરણાનો ધોધ છે. સ્વસ્થ માણસે એની પાસેથી શીખવું પડે કે રોદણાં રડવાનાં










