પ્રકાશિત પુસ્તકો

જગખેડુ

આપણામાં કહેવત છે કે સાહસ વગર સિદ્ધિ નહિ. આ સિવાય ‘સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે નહાય’ એ પંકિત પણ જાણીતી બની ગઇ છે. નવી પેઢીના બાળકોમાં સાહસનો સદગુણ કેળવાય, તેમની જિજ્ઞાસાવૃત્તિ જાગૃત થાય...

ડોકિયું

કોલેજ કાળ દરમિયાન વિશ્વના સાહિત્યનો આસ્વાદ લેતાં લેતાં જે કૃતિઓ જનકભાઈને હૃદયસ્પર્શી લાગી તેને ફરી ફરીને માણીને તેનો અનુવાદ કરી ગુજરાતી વાચકો સાથે વિવિધ સામયિકો દ્વારા તેનો આનંદ વહેંચતા રહેલા તે...

Invention Saga

What can be distinguishing success in the life of a human being other than having a mission, striving continuously for the whole life for its achievements and accomplishing the goal? Very rarely, but...

અંધારી અમાસના તેજસ્વી તારલા

(ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૨માં આત્મકથા, રેખા ચિત્ર, પત્ર અને જીવન ચરિત્ર વિભાગમાં શ્રેષ્ઠ પુસ્તક તરીકે તૃતિય ક્રમના પારિતોષકને પાત્ર બનેલ પુસ્તક) જીવનની અંધારી ઘનઘોર રાતમાં પોતાના તેજે...

રમીએ રમતો વ્યૂહરચનાની

લાદી ઉપર ચોકથી ખાનાઓ દોરી પાંચી-કૂકા અને કોડા વડે રમતા રમતા અનેક રમતોનો બચપણમાં ત્રણ વર્ષના હોસ્પિટલના નિવાસ દરમિયાન રમતો હતો તેનો મનમાં સંગ્રહ થયો હતો. ત્યાર પછી બીજા દેશોમાં પણ આવી Indoor Games...

અડગ મનના ગજબ માનવી

આ પુસ્તકમાં શું છે એ તો એની અનુક્રમણિકા જોવાથી જણાઈ આવશે. પ્રાથમિક વાત એ છે કે અહીં પાંચ ગુજરાતી અને પાંચ વિદેશી સિદ્ધિવંતોની કથાઓ છે. લગભગ દરેકની કથા હેરત પમાડે તેવી છે. હા, રીતસર આપણાં ડોળા ફાટી રહે...

હોંસલોં કી ઉડાન

આ દુનિયામાં ઘણા લોકો પોતાને ‘લેસ ફોરચ્યુનેટ’ સમજતા હોય છે. કુદરતે તેના સર્જનમાં ક્યારેક કોઈ ખામી રાખી દીધી હોય છે. કોઈના પગમાં, કોઈના હાથમાં, કોઈની આંખમાં કે કોઈના બીજા કોઈ અંગમાં થોડીક અધૂરપ...

જીવતરની સાથે, માણસાઈની વાટે

ગાંધી યુગીન ગુજરાતી સાહિત્યમાં કરસનદાસ માણેક એક વડેરા કવિ રહ્યા છે. એમણે લખેલી એક કવિતા સાંભરે છે : જીવન અંજલિ થાજો ! ‘જીવતરની સાથે માણસાઈની વાટે’ નામક આ પુસ્તિકામાં ‘જીવન અંજલિ...

કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર

‘કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર.’ એટલે ‘પરમ સમીપે’ પહોંચવાની ભાવના- આ વિશિષ્ટ કાર્યક્ષેત્રે કામ કરતી વિભૂતિઓ. આ પુસ્તકમાં આવી દસ પાત્રોની કથાઓના પ્રસંગો ‘પરમ સમિપે’ પહોંચવાની ભાવનાને...

હૈયે હામ તો હરકત શી

‘હૈયે હામ તો હરકત શી !’ પુસ્તકનાં દેશ-વિદેશમાં વસતાં પંદર દિવ્યાંગોની સફળતા અને સિદ્ધિનું, સહેજ પણ રંગદર્શી વિના રસપ્રદ કથાની રીતે આલેખન કર્યું છે. આ પંદરેય વ્યક્તિઓે વિષમ અને વિપરિત સંજોગો સામે બાથ...

બંધ પોપચાંમાં રંગોની ભાત

‘બંધ પોપચાંમાં રંગોની ભાત’ શિર્ષક પોતે જ પુસ્તક વિશેની ઘણી બધી ધારણાઓને સાચી પાડે છે. જુદા જુદા દેશોના નેત્રહીન માનવીઓની અલગ અલગ કથની અને વૈવિધ્યપૂર્ણ કલાઓનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. ૧૬૦૮માં...

સારપનું વાવેતર

‘હું માનવી માનવ થાઉં તોય ઘણું’- ને ચરિતાર્થ કરતા સોળ મહાનુભવોની વાત આ ચરિત્રસંગ્રહ ‘સારપનું વાવેતર’માં જોવા મળે છે. સમાજના સાચા અર્થમાં બુનિયાદી સેવા કરતા આ સમાજસેવકો માટે પ્રજાનો...

અજવાળી કેડીનાં અનોખાં મુસાફરો

વિવિધ વિદ્યાઓમાં અનોખી સફર ખેડનારા અનોખા મુસાફરોની પ્રેરક કથાઓનું આ પુસ્તક કોઇપણ સાચા વિદ્યાર્થી કે જિજ્ઞાસુ માટે પહેલા પાનાથી છેલ્લા પાના સુધી જકડી રાખતુ ને સ્ટડી ટેબલ ઉપર મુકી જ રાખવું પડે તેવું...

શૂન્યમાંથી સર્જન

સાહસ અને પરાક્રમ પર કોઈની ઈજારાશાહી નથી હોતી. આ બે બાબતો ઉછીની મળતી નથી. કાંતો માણસને જન્મજાત સંસ્કારઘડતર સાથે એ મળેલી હોય છે, કાંતો બાહ્યજગતના અનુભવો માંથી વ્યક્તિ પોતે એ પ્રગટાવે છે. આ પુસ્તકમાં એવી...

ચેતનાનો સાક્ષાત્કાર

ગામ, પાદર, ઘર, ગલી ઓળંગીને ચાલ્યો જઈશ,હુંય મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ કવિ શ્રી અનિલ ચાવડાની આ પંક્તિમાં જીવનું શાશ્વત સત્ય સમાયેલું છે. મૃત્યુ માનવજીવનની એક અફર ઘટના છે એ આપણે સૌ જાણીએ છીએ...

ટોમ..ટીટ..ટોટ અને અન્ય બાળકથાઓ

પ્રસ્તુત સંગ્રહ ‘ટોમ.ટીટટોટ અને અન્ય બાળ કથાઓ’માં પંદર વાર્તાઓ છે ને દરેક વાર્તાઓમાંથી બાળકને આનંદ અને પથ્ય શિક્ષા બંને મળે છે. કેટલીક વાર્તાઓ કલ્પનાપ્રધાન હોવાથી, તેમાં આવતા ચમત્કારોથી અદ્ભૂત...
Follow by Email
LinkedIn
Share
Instagram
WhatsApp